માછલી, જાળ અને પાણી
મૌરો બર્ગોન્ઝી દ્વારા
એક વખત માછલીએ કાચબાને કહ્યું:
"મે એક વિશાળ વસ્તુ વિશે સાંભળ્યું છે જેને 'સમુદ્ર' કહે છે. શું એ ખરેખર અસ્તિત્વમાં છે? હું એની શોધમાં આજુબાજુ જોઈ રહી છું, પરંતુ મને તો રેત, શંખ અને બીજી માછલીઓ જ દેખાય છે. સમુદ્ર ક્યાં છે?"
કાચબાએ જવાબ આપ્યો:
"સમુદ્ર બધે જ છે, તારી અંદર અને બહાર પણ, પરંતુ જો તું કોઈ ચોક્કસ વસ્તુ શોધી રહ્યો હોય, તો તું તેને ચૂકી જઈશ."
તમે જે કંઈ જોઈ, જાણી કે સમજી શકો છો તે હંમેશા કોઈ નિશ્ચિત આકાર સુધી જ મર્યાદિત હોય છે; એ 'સંપૂર્ણ' નથી.
એ માત્ર નકશો છે, વાસ્તવિક પ્રદેશ નહી.
નકશો અનેક કલ્પનાઓ અને શબ્દોથી બનેલો હોય છે, જે આપણા વિચારોની જાળ દ્વારા જોડાયેલા હોય છે, જેથી આપણે આ દુનિયાનું સંક્ષિપ્ત અને અમૂર્ત દૃશ્ય પ્રાપ્ત કરી શકીએ. એ માત્ર એક ઉપયોગી સાધન છે, પરંતુ વાસ્તવિકતાના સાચા સારને પકડવામાં અસમર્થ છે.
માછીમારની જાળ ખરેખર દોરીઓ દ્વારા જોડાયેલા છિદ્રોનો સમૂહ હોય છે; એ માત્ર માછલીઓને પકડી શકે છે, પણ એ પાણીને પકડી શકતું નથી જેમાં તે સંપૂર્ણપણે ડૂબેલી હોય છે.
એ જ રીતે, આપણા વિચારોની જાળ વાસ્તવિકતાના ટુકા ખ્યાલોને જ પકડી શકે છે, પરંતુ વાસ્તવિકતા હંમેશા એની પહોચથી પરે હોય છે.
તેથી, આપણા ખ્યાલો પર આધારિત નકશાઓ હકીકતની સંપૂર્ણ સમજૂતી માટે પૂરતા નથી, તેથી આપણે એમ માનીને તેમને વધુ ને વધુ જટિલ બનાવીએ છીએ કે કદાચ જ્યારે તેઓ (નકશાઓ) પૂરતા અઘરા બનશે, ત્યારે તેઓ આખી 'સત્યતા'ને દરેક દૃષ્ટિકોણથી પકડી શકશે. પણ એ એવું જ છે જેમ કે કોઈ નદીના પ્રવાહને દર્શાવવા માટે તેના અગણિત ફોટા ખેંચવા – ભલે કેટલાંય ફોટા હોય, સ્થિર છબીઓ ક્યારેય પણ પ્રવાહની ગતિશીલતા દર્શાવી શકતી નથી.
વાસ્તવિકતા એ કોઇ સમસ્યા નથી જેને ઉકેલવી પડે – ભલે આપણે એને કેટલી ય અઘરી ગણી લઈએ – વાસ્તવિકતા એ ખરેખર એક રહસ્ય છે.
આપણે રહસ્યને 'સમસ્યા'ની જેમ ઉકેલી નથી શકતા; આપણે ફક્ત તેમાં કુદી શકીએ છીએ અને સમજી શકીએ છીએ કે આપણે તેને 'સમજવાની' જરૂર નથી, કારણ કે આપણે જ તે છીએ.
તોપણ, સંપૂર્ણ સત્યને સમજવામાં અસમર્થતાની નિરાશામાંથી, આપણે વધુને વધુ જટિલ નકશા બનાવવાનું ચાલુ રાખીએ છીએ, એ સ્વીકારી લેવાના બદલે કે અસ્તિત્વનું રહસ્ય એટલું સરળ છે કે તેને મનની જટિલતાથી જાણી શકાતું નથી, – એટલું સરળ છે કે તે વિચાર દ્વારા પકડાવાની કોઈ પણ કોશિશથી દૂર રહે છે.
પરંતુ વહેલા કે મોડાં, આપણો, ખ્યાલો અને માનસિક નકશાઓ પરનો વિશ્વાસ સહજપણે તૂટી પડે છે – અને આપણી ધારણા કરતા પણ વધારે વાર આપણા જીવનમાં આવું થાય છે, તેમ છતાંય સામાન્ય રીતે આપણે તેને સભાનપણે સમજી શકતા નથી
ત્યારે આપણે પોતાને અજ્ઞાત ખાલીપણામાં મુક્તપણે સરી પડતા જોઈએ છીએ, જ્યાં અસ્તિત્વની અતિ સરળતા આ બહુમુખી બ્રહ્માંડ તરીકે અદ્દભુત રીતે ઉદભવે છે.
આ સાક્ષાત્કાર ના પ્રકાશમાં એ હવે અસંગત બની જાય છે કે આપણા વૈચારિક નકશાઓ કાર્યરત છે કે નહીં, કારણ કે એ પણ – અન્ય કોઈપણ અનુભૂતિની જેમ – અસ્તિત્વની અતી સરળતાની એક ક્ષણિક અભિવ્યક્તિ જ છે.
પ્રતિભાવ માટે બીજ પ્રશ્નો:
વાસ્તવિકતા એ સમસ્યા નથી કે જેને ઉકેલવાની હોય , પણ એક રહસ્ય છે જે અનુભવવાનું હોય – આ વિચાર સાથે તમે કેવી રીતે સહમત છો ?
શું તમે તમારા જીવનની એવી કોઈ વ્યક્તિગત ઘટના વર્ણવી શકો છો કે જ્યારે તમે વાસ્તવિકતા ના નકશાથી પર જઈ શક્યા હોય અને એને સમર્પિત થઇ ગયા હોય?
તમારી, ખ્યાલો વિશેની માન્યતાઓ સહજપણે તૂટી પડી છે, તેમાં જાગૃત થવામાં તમને શું મદદ કરે છે?
Excerpted from SAND. Mauro Bergonzi taught Religion and Philosophy of India at the Università degli Studi di Napoli for thirty years. He is author of academic essays and articles on Oriental Philosophies, Comparative Religion, Psychology of Mysticism and Transpersonal Psychology.
Seed Questions for Reflection
How do you relate to the notion that reality is not a problem to be solved but a mystery to be experienced? Can you share a personal story of a time you were able to go beyond maps of reality and surrender to it instead? What helps you become aware that your belief in concepts has spontaneously collapsed?