અજ્ઞાત ભવિષ્ય
એડમ ગ્રાન્ટ દ્વારા
માનવજાત કદાચ એવી એકમાત્ર પ્રજાતિ છે જે અજ્ઞાત ભવિષ્યની કલ્પના કરી શકે છે. પરંતુ આનો અર્થ એ નથી કે આપણે તેમાં નિપુણ છીએ.
આપણે વારંવાર ભૂલ કરીએ છીએ કે કઈ કારકિર્દી પસંદ કરીશું, ક્યાં રહેવા જઈશું અને જીવનમાં કોની સાથે પ્રેમમાં પડશું. રાષ્ટ્રીય અને વૈશ્વિક ઘટનાઓના પરિણામોની આગાહી કરતા તો આપણે હજી વધુ નિષ્ફળ જઈએ છીએ. હવામાનશાસ્ત્રીઓ જેમ કેટલાક દિવસોથી વધુ હવામાનની આગાહી કરી શકતા નથી, તેમ આપણે પણ દરેક પરિબળ અને બટરફ્લાય ઇફેક્ટની આગાહી કરી શકતા નથી.
એક મહત્વપૂર્ણ અભ્યાસમાં, માનસશાસ્ત્રી ફિલિપ ટેટલોકે રાજકીય અને આર્થિક ઘટનાઓ અંગેના કેટલાક દશકાના અનુમાનોનું મૂલ્યાંકન કર્યું. તેમણે શોધ્યું કે “સરેરાશ નિષ્ણાતની આગાહી લગભગ એટલી જ સાચી હતી જેટલી કોઈ ચિમ્પાન્ઝી તીર ફેંકે ત્યારે થાય.” જો કે કુશળ આગાહીઓ થોડું વધુ સારું પ્રદર્શન કરી શક્યા, પરંતુ તેઓ પણ અનિશ્ચિત પરિસ્થિતિઓ જોઈ શકતા ન હતા. કોઈ પણ એ આગાહી કરી શક્યું ન હતું કે ડ્રાઇવરની એક ભૂલ આર્કડ્યુક ફ્રાંઝ ફર્ડિનાન્ડને હત્યારાના માર્ગમાં મૂકી દેશે અને પહેલું વિશ્વયુદ્ધ શરૂ થશે.
છતાં ભવિષ્ય વિશેની અંતર્જ્ઞાન નિશ્ચિતતા જેવી લાગે છે કારણ કે વર્તમાન ખૂબ જ સંપૂર્ણ રીતે હાજર છે. તે ત્યાં છે, આપણી સામે જોઈ રહ્યો છે. ખાસ કરીને ભારે ચિંતાના સમયમાં, ભવિષ્ય એટલું જ સ્પષ્ટ દેખાશે એવું પોતાને ખાતરી કરાવવી ખૂબ જ આકર્ષક - અને ખૂબ જ ખતરનાક પણ હોઈ શકે છે.
ભવિષ્ય અજાણ છે તે ઓળખવાથી થોડો આરામ મળી શકે છે, ખાસ કરીને જ્યારે દુનિયા તૂટી રહી હોય તેવું લાગે છે. તે અસ્તવ્યસ્ત દુનિયામાં નમ્રતાનો ડોઝ પણ પ્રદાન કરી શકે છે, જ્યાં કૃત્રિમ બુદ્ધિ જેવી નવી તકનીકો પરિવર્તનની ગતિને વધુ વેગ આપે છે અને તેની અસરોની આગાહી કરવી વધુ મુશ્કેલ બનાવે છે. કસાન્ડ્રાસ (એક પૌરાણિક વ્યક્તિ જે વિનાશની આગાહી કરે છે પરંતુ તેનું પાલન થતું નથી) જે આત્યંતિક ઘટનાઓની આગાહી કરવામાં સફળ થાય છે તેઓ પણ સામાન્ય રીતે નસીબદાર હોય છે, હોશિયાર નહીં; તેઓ અસંભવિત દૃશ્યોને વધુ પડતો અંદાજ આપે છે અને સંભવિત પરિણામો પર ધ્યાન ચૂકી જાય છે
ભવિષ્યની આગાહી કરવાના આપણા સંઘર્ષો ફક્ત ઘટનાઓ સુધી મર્યાદિત નથી. તે આપણી લાગણીઓને પણ લાગુ પડે છે. આ ક્ષણની ગરમીમાં, આપણે આપણા આજના દુઃખને વધુ પડતું આંકીએ છીએ અને આવતીકાલને અનુકૂલન કરવાની આપણી ક્ષમતાને ઓછી આંકીએ છીએ.
પીડા અને દુ:ખ ક્યારેય કાયમી નથી હોતા. તે સમય જતાં બદલાય છે, અને આદર્શ રીતે તે આપણને અર્થપૂર્ણ બનાવવામાં, અર્થ શોધવામાં અને પરિવર્તન લાવવામાં મદદ કરે છે. જેમ લેખક અને પોડકાસ્ટર નોરા મેકઇનર્નીએ કહ્યું છે, "આપણે દુઃખમાંથી આગળ વધતા નથી. આપણે તેની સાથે આગળ વધીએ છીએ."
નુકસાન માટે આ સ્પષ્ટ હોવું એ અંતિમ સંસ્કાર નથી. તે એક ગણતરી છે.તે ગરમ ચૂલાને સ્પર્શ કરવા જેવું છે, તે દુઃખ પહોંચાડે છે જેથી આપણે ગરમ વસ્તુને હાથ લગાવવાથી દાઝી જઈને થતી પીડાના પાઠ ચૂકી ન જઈએ. આગળ શું થશે તેની ચિંતા આપણને આત્મસંતુષ્ટિથી બહાર કાઢવામાં મદદ કરી શકે છે.
આપણા માટે એ એક વિનાશક અથવા આઘાતજનક અનુભૂતિ છે કે આપણી પાસે ભવિષ્યની આગાહી કરવાની કોઈ શક્તિ નથી, કારણ કે તેનો અર્થ એ પણ છે કે આપણા ભાગ્ય પર આપણો કોઈ નિયંત્રણ નથી. સારા સમયમાં પણ, આ વસ્તુ આપણને શ્વાસ રોકી રાખે છે. પરંતુ સૌથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ, અનિશ્ચિતતાને સ્વીકારવી કે અપનાવવી એ મુક્તિદાયક સાબિત થાય છે. તે આપણને યાદ અપાવે છે કે આપણું ભાગ્ય કેટલી ઝડપથી બદલાઈ શકે છે.
એ સમજવું અસ્વસ્થ કરે છે કે આપણી પાસે ભવિષ્યની આગાહી કરવાની શક્તિ નથી, કારણ કે તેનો અર્થ એ છે કે આપણે આપણા ભાગ્યના નિયંત્રણમાં નથી. શ્રેષ્ઠ સમયે, તે આપણા શ્વાસ રોકી શકે છે. પરંતુ સૌથી ખરાબ સમયમાં, અનિશ્ચિતતાને સ્વીકારવી મુક્તિદાયક સાબિત થાય છે. તે આપણને યાદ અપાવે છે કે આપણું ભાગ્ય કેટલી ઝડપથી બદલાઈ શકે છે.
ચિંતન-મનન માટેના મુખ્ય પ્રશ્નો:
- જીવનના સૌથી ખરાબ સમયમાં, અનિશ્ચિતતાને સ્વીકારવાથી મુક્તિ મળે છે તે ખ્યાલ સાથે તમે કેવી રીતે સંબંધિત છો?
- શું તમે એવા સમયની કોઈ વ્યક્તિગત વાર્તા શેર કરી શકો છો જ્યારે તમે વર્તમાનની વેદનાથી આગળ વધી શક્યા હતા અને આવતીકાલને અનુકૂલન કરવાની તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખ્યો હતો?
- તમારું ભાગ્ય કેટલી ઝડપથી બદલાઈ શકે છે તે યાદ રાખવામાં તમને શું મદદ કરે છે?
Adam Grant is an organizational psychologist, best-selling author, professor at Wharton Business School. Excerpted from
here.
Seed Questions for Reflection
How do you relate to the notion that in the worst of times, embracing uncertainty proves liberating? Can you share a personal story of a time you were able to move beyond the anguish of the present and with a belief in your capacity to adapt tomorrow? What helps you remember how quickly your fortune can change?