"સંપૂર્ણ રીતે માનવ બનવું યોગ્ય છે"
-બ્રાયન જે. plachta દ્વારા
આપણે આમ કેમ કરીએ છીએ? આપણે આપણી જાતને ત્રાસ આપીએ છીએ અને આપણી ટીકા કરીએ છીએ ? આપણે આપણી આત્મ - છબી ના વિરુદ્ધમાં નકારાત્મક શબ્દો અને વિચારોની મિસાઈલ કેમ ચલાવીએ છીએ ?
એક કારણ તો પૂર્ણતાવાદ છે. આપણે પોતાનાથી જ પરિપૂર્ણ હોવાની આશા, અપેક્ષા રાખીએ છીએ,અને જ્યારે આપણે પરિપૂર્ણ નથી હોતા, ત્યારે આપણે પોતાના પ્રત્યે શરમ અનુભવીએ છીએ. આપણે નકારાત્મકતાની ખીણ ખોદીએ છીએ જે આપણને બતાવે છે કે આપણે ખરાબ છીએ, દોષોથી ભરેલા છીએ, તૂટેલા છીએ. આપણે આપણી પ્રાકૃતિક આંતરિક ભલાઈ સારાપણાની સાથે વિશ્વાસઘાત કરીએ છીએ.
કંઈક મેળવવા માટે વધુ સારા બનવા માટે પોતાની જાતને પ્રેરિત કરવું એ સારી વાત છે. આ લક્ષને નિર્ધારિત કરવા અને તેના સુધી પહોંચવા, પોતાના સપનાને પૂરા કરવા એ દુનિયાને એક વધારે સારી જગ્યા બનાવવાની મંજૂરી આપે છે. પરંતુ આ પ્રેરણામાં ત્યારે ગરબડ થઈ શકે છે, જ્યારે એ અહંકારી, શર્મજનક અથવા ક્યારેય પણ સારા નહીં હોવાની વિચારસરણીમાં બદલાઈ જાય છે.
શું થશે જ્યારે આપણે પોતાને પોતાની સ્વની છબી( પોતાના મનમાં પોતાના પ્રત્યે બનાવેલી છબી) ના વિરુદ્ધમાં નકારાત્મકતાનો હુમલો કરતા જોઈએ છીએ.ત્યારે આપણે રોકાઈ જઈએ છીએ અને તેના બદલે આપણે આપણી પાસે રહેલા એક સારા ચરિત્રના ગુણો, એક ગુણવત્તા જે આપણને આપણા પોતાના વિશે પસંદ છે તેને જોઈએ છીએ ? આપણે આપણને પોતાને એ એ યાદ દેવડાવવું કે આપણે સારા છીએ, શીખવા યોગ્ય છીએ અને પ્રેમ કરવા યોગ્ય છીએ. આ એક સરળ અભ્યાસ હોઈ શકે જે આપણા મનમાં રહેલી નકારાત્મકતાને બંધ કરવામાં મદદ કરશે.
પોતાની પુષ્ટિ કરવી અને સ્વીકાર કરવાની આદતને અપનાવીને આપણે જાણી જોઈને પૂર્ણતાવાદની અપ્રાપ્ય મર્યાદાઓને ઓછી કરીએ છીએ આપણે સ્વયં ને પૂર્ણતઃ માનવી બનવાની મંજૂરી આપીએ છીએ.
સંપૂર્ણ માનવ એટલે કે આપણે ભૂલો કરીશું, અને જ્યારે આપણે કરીશું, ત્યારે આપણે તે સ્વીકારીશું અને તેમની પાસેથી શીખીશું. તેનો અર્થ એ છે કે જાતને બિનશરતી પ્રેમ કરવો, ઈશ્વરે આપણને જે છબી અને સમાનતા સાથે બનાવ્યા છે તેને અપનાવવું - સારા, પ્રેમાળ, આપણા હૃદયમાં રહેલ આંતરિક પ્રકાશ દ્વારા તેમના પવિત્ર આત્મા સાથે જોડાયેલા.
જો અહંકાર દરેક રીતે સંપૂર્ણ અથવા સંપૂર્ણ હોત, તો કદાચ આપણને ભગવાનની જરૂર ન હોત. આપણે પોતે ભગવાન બની શક્યા હોત પણ આપણે ભગવાન નથી અને કદાચ આપણે ભગવાન બનવા માંગતા પણ નથી. આપણું કામ દરેક રીતે સંપૂર્ણ (સંપૂર્ણ) વ્યક્તિ બનવાનું છે. એક સારી વ્યક્તિ, અવ્યવસ્થિત અને શીખવાલાયક. આપણે ઈશ્વરના મંડળના માનવીય ભાગ છીએ, જેના દ્વારા ઈશ્વર આપણને આ વિશ્વમાં વધુ પ્રેમ સહ-નિર્માણ કરવા આમંત્રણ આપે છે.
જ્યારે આપણે આપણા આંતરિક યુદ્ધો સાથે શાંતિ બનાવીએ છીએ અને નિર્ણય લીધા વિના આપણી જાતના તમામ ભાગોને સ્વીકારીએ છીએ, ત્યારે આપણે ભગવાન માટે ખુલ્લા બનીએ છીએ, જે આપણને પ્રેમ કરે છે, આપણી જાતને પ્રેમ કરે છે અને પછી બીજાઓ માટે બિનશરતી પ્રેમના ગુણક બનીએ છીએ.
આંતરિક યુદ્ધ બંધ કરો. તેના બદલે, સ્વ-સ્વીકૃતિનો ઉકેલ લો. તમારી નમ્રતાની પુષ્ટિ કરો અને તમારી જાતને સંપૂર્ણ માનવ બનવાની મંજૂરી આપો.
મનન માટે બીજ પ્રશ્નો:-
-તમે એ કલ્પના સાથે કેવી રીતે સંબંધિત છો કે પોતાને સ્વીકારવા અને સ્વીકારવાથી એ પૂર્ણતા વાત તરફ દોરી જાય છે જેનાથી પોતાની અપ્રાપ્ય સીમાઓ ઓછી થઈ જાય છે ?
-શું તમે એ સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકો છો જ્યારે તમે પોતાને કોઈ પણ શરત વગર પ્રેમ કરવામાં સફળ રહ્યા હતા ?
-તમારા સારા, ખરાબ અને શીખવા યોગ્ય ભાગોનો સ્વીકાર કરવામાં તમને શેનાથી મદદ મળે છે ?
Brian Plachta is author and mentor. When a nun asked him to find a rule of life, his was -- Finding Flow.
Seed Questions for Reflection
How do we relate to the notion that affirming and accepting ourselves purposely lowers the unattainable bar of perfectionism? Can you share a personal story of a time you were able to love yourself unconditionally? What helps you accept the good, messy and teachable parts of you?