Why DIY Devotion Doesn't Work

Author
Sumit Nagar
78 words, 8K views, 48 comments

Image of the WeekDIY ભક્તિ" કામ કેમ નથી કરતી ?"
લેખક: સુમિત નાગર

આપણે હવે સાધક નથી રહ્યા – આપણે ખરીદનાર બની ગયા છીએ, ખરેખર તો હંમેશા ખરીદી પણ નથી કરતા, માત્ર વિન્ડો શૉપિંગ (વસ્તુઓ ખરીદવાને બદલે ફક્ત જોવી) કરતા હોઈએ છીએ.

એવા યુગમાં જ્યાં ધ્યાન આપવાની ક્ષમતા માત્ર ટિકટોક વિડિયો જ જોઈ શકે તેટલી ટૂંકી થઈ ગઈ છે. જવાબદારી મિનિટોમાં મપાય છે. આપણે પવિત્રતાને "સેમ્પલર" બનાવી દીધું છે. હવે અધ્યાત્મિકતા એક વિચિત્ર "બફે" બની ગયું છે. થોડુંક માઇન્ડફુલનેસ, થોડા મંત્રો, થોડી સાઈકોલોજી, થોડું જ્યોતિષ્યશાસ્ત્ર – અને આપણે તેને "આધ્યમિકતા" કહીએ છીએ. તેમાં એક ચપટી ઝેન, એક ચમચી કૃષ્ણની , થોડી સુગંધ જીસસની, રૂમીનો તડકો અને "મેં 'ધ સીક્રેટ' વાંચ્યું છે" ની સાઇડ ડિશ – લ્યો બોલો આપણે તેને કહીએ છીએ, "આ મારો આધ્યાત્મિક માર્ગ."

ખરેખર, આ બધુ આધ્યાત્મિક ફાસ્ટફૂડ જેવું છે – અનુકૂળ, ઝડપી, આરામદાયક… પણ પોષણ વગરનું. એવા યુગમાં જ્યાં શ્રદ્ધા “બ્રાન્ડેડ” થઈ ગઈ છે, ભક્તિ “ડિજિટલ” થઈ ગઈ છે, અને મોક્ષ સબ્સ્ક્રાઇબરની સંખ્યા થી મપાઇ છે. પવિત્રતાએ તેની ગંભીરતા ગુમાવી દીધી છે.

આપણે હવે સમર્પણ નથી કરતા – પસંદગીઓ કરીએ છીએ. સાધના નથી કરતા – આપણી અનુકૂળતા પ્રમાણે કરીએ છીએ. અને આમ કરીને, આપણે સત્યના અંગોને કાપી નાખીએ છીએ, અને સગવડતાના કુત્રિમ અંગો સાથે ઘમંડ થી ફરીએ છીએ. આ પ્રગતિ નથી – આ સુવાળી ગૂંચવણ છે. આપણે એક અવ્યવસ્થિત, ભ્રમિત, વેપારી દુનિયા ઊભી કરી છે.

આપણે મુક્તિને આળસ અને શિસ્તને માન્યતા સમજી લીધી છે. પ્રાચીન જ્ઞાન, જે આત્માને જાગૃત કરવા માટે હતું, તેને આપણે “વીકેન્ડ રિટ્રીટ્સ”, “સેલ્ફ-હેલ્પ મંત્રો” અને “ઇન્સ્ટાગ્રામ સ્ટાઇલ” માં પેક કરી દીધું છે.

અધ્યાત્મિકતા એ ભઠ્ઠી છે, સુગંધી મીણબત્તી નહીં. આપણે અગ્નિથી એરોમાથેરાપી પર આવી ગયા છીએ. શક્તિશાળી મંત્રોના જપ છોડીને એફર્મેશન્સ ગણગણવા લાગ્યા છીએ, તેને ફોરવર્ડ કરવામાં લાગ્યા છીએ અને કોમેન્ટમાં "Yes" લખતા બની ગયા છીએ. ગુરુઓની પૂજા કરવાની જગ્યાએ, રિંગ લાઇટ અને ડિસ્કાઉન્ટ કોડ વાળા ઇન્ફ્લુએન્સર્સને ફોલો કરીએ છીએ.

આપણા મંદિરો અવ્યવસ્થિત છે, મન અસ્તવ્યસ્ત છે, અને આપણી આત્મા? કાયમ માટે દિશાહીન થઈ ગઈ છે.

પ્રામાણિકપણે કહીએ તો, આપણામાંના મોટા ભાગના લોકો આધ્યાત્મિકતા સાથે તૈયાર ફર્નિચર જેવો વ્યવહાર કરે છે. બૉક્સ ખોલે, મેન્યુઅલ પર નજર કરે, તેની મશ્કરી કરે, તેને એકબાજુ ફેંકી દઈને કહે, "મને આની જરૂર નથી. હું જાતે બનાવી લઈશ." ત્રણ કલાક પછી, આપણે એક વાંકી ખુરશી પર બેઠા હોઈએ છીએ, જે શાંતિ શોધવાની દરેક કોશિષ પર ચીં…ચીં… કરે છે.

પરંતુ અહીં એક અસુવિધાજનક સત્ય છે: ઉન્નતિ આરામદાયક નથી. તે સરળ નથી. તે અનુકૂળ નથી. તે માગે છે – સમર્પણ. પરિશ્રમ. મૌન. શિસ્ત .

મનન માટેના બીજ પ્રશ્નો:

1. આ વિચાર વિશે કે તમારું શું માનવું છે કે “આધુનિક સમયમાં આપણો આધ્યાત્મિકતા તરફનો અભિગમ ઘણીવાર "આધ્યાત્મિક ફાસ્ટફૂડ" જેવો બની જાય છે, જે અનુકૂળ તો હોય છે પણ ઉંડો હોતો નથી”?

2. શું તમારા જીવનની કોઈ એવી ઘટના વર્ણવી શકશો જ્યારે તમને ખ્યાલ આવ્યો હોય કે તમારી સાધના સુવિધા પર કેન્દ્રિત હતી, ન કે સાચી જાગૃતિ પર?

3. આરામ અને અનુકૂળતા ને બદલે “સમર્પણ, પરિશ્રમ, મૌન, શિસ્ત” માંગતી આધ્યાત્મિક સાધનાઓ માટે પ્રતિબદ્ધ થવામાં તમને શું મદદ કરે છે ?
 

Sumir Nagar is a seeker, wanderer who devotes himself to exploring the intersections of consciousness, culture, and chaos. Excerpted from here.


Add Your Reflection

48 Past Reflections